શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ એટલે વાગડ વિસ્તામાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવતી સંસ્થા. અજ્ઞાન ના અંધકારને, સામાજિક અજ્ઞાન નને દૂર કરનારું પ્રેરક તત્વ એટલે આ સંસ્થા.
આ સંસ્થામાં આજદિન સુધી હજારો વિધાર્થીઓ પોતાની અભ્યાસરૂપી કારકીર્દિની કેડી કંડારી જીવનપથ પર આગળને આગળ વધી રહ્યા છે. હાલે પણ આ સંસ્થામાં વિધાર્થીઓ પાયાની તમામ પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આયોજનબધ્ધ સમયપત્રક, ભોજનપત્રક, અભ્યાસનું સમયાલેખન વગેરે બાબત પર યોગ્ય ધ્યાન આપવામાં આવે છે.
સમાજનો આજનો નાનો બાળક આવતી કાલનો દેશનો આદર્શ નાગરીક બને તે માટેના તમામ પ્રકારના પાઠ આ સંસ્થા-શાળામાં શીખવવામાં આવે છે. વિધાર્થીઓ માત્ર અભ્યાસકીય નહીં પણ સાંવેગિક તથા સર્વાંગી વિકાસ થાય તે આ સંસ્થાનો મુખ્ય હેતુ છે.